:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

08 March 2012

" ભારતના વડાપ્રધાનો "

૧). જવાહરલાલ નહેરુ - ૧૫ઑગષ્ટ ૧૯૪૭ થી ૨૭મે ૧૯૬૪સુધી 
૨). ગુલઝારીલાલ નંદા - ૨૭મે ૧૯૬૪ થી ૯જૂન ૧૯૬૪સુધી 
૩). લાલબહાદુર શાસ્ત્રી - ૯જૂન થી ૧૧જાન્યુઆરી ૧૯૬૬સુધી 
૪). ગુલઝારીલાલ નંદા - ૧૧જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪જાન્યુઆરી ૧૯૬૬સુધી 
૫). ઇન્દિરા ગાંધી - ૨૪જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪માર્ચ ૧૯૭૭સુધી 
૬). મોરારજી દેસાઇ - ૨૪માર્ચ૧૯૭૭ થી ૨૮જુલાઇ ૧૯૭૯સુધી 
૭). ચરણ સિંહ - ૨૮જુલાઇ ૧૯૭૯ થી ૧૪જાન્યુઆરી ૧૯૮૦સુધી 
૮). ઇન્દિરા ગાંધી - ૧૪જાન્યુઆરી ૧૯૮૦ થી ૩૧ઑક્ટોબર ૧૯૮૪સુધી 
૯). રાજીવ ગાંધી - ૩૧ઑક્ટોબર ૧૯૮૪ થી ૨ડીસેમ્બર ૧૯૮૯સુધી 
૧૦). વિશ્વનાથ પ્રતાયસિંહ - ૨ડીસેમ્બર ૧૯૮૯ થી ૧૦ડીસેમ્બર ૧૯૯૦સુધી 
૧૧). ચંદ્રશેખર - ૧૦ડીસેમ્બર ૧૯૯૦ થી ૨૧જૂન ૧૯૯૧સુધી 
૧૨). પી.વી.નરસિંહરાવ - ૨૧જૂન ૧૯૯૧ થી ૧૬મે ૧૯૯૬સુધી 
૧૩). અટલ બિહારી બાજપાય - ૧૬મે ૧૯૯૬ થી ૧જૂન ૧૯૯૬સુધી 
૧૪). એચ.ડી.દેવગૌડા - ૧જૂન ૧૯૯૬ થી ૨૧એપ્રિલ ૧૯૯૭સુધી 
૧૫). ઇન્દ્રકુમાર ગુજરાલ - ૨૧એપ્રિલ ૧૯૯૭ થી ૧૯માર્ચ ૧૯૯૮સુધી 
૧૬). અટલ બિહારી બાજપાય - ૧૯માર્ચ ૧૯૯૮ થી ૨૨મે ૨૦૦૪સુધી 
૧૭). ડૉ.મનમોહન સિંહ - ૨૨મે ૨૦૦૪ થી ૧૮મે ૨૦૦૯સુધી 
૧૮). ડૉ.મનમોહન સિંહ - ૨૧મે ૨૦૦૯ થી મે ૨૦૧૪.... 
૧૯). નરેન્દ્ર મોદી - ૨૬મે ૨૦૧૪ થી...... . . . .

No comments:

Post a Comment

Ⓣⓗⓐⓝⓚⓢ