:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

31 December 2021

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર

 ધોરણ 6 અને ધોરણ 9 માટે શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ ચાલુ છે.




 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિકની શિષ્યવૃતિ પરીક્ષાનું 2022નું નોટીફીકેશન જાહેર થઈ ગયુ છે.

◆ ધોરણ 6 માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા
◆ ધોરણ 9 માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા

● ઓનલાઈન અરજી કરવાની તારીખ:
28-12-2021 થી 11-1-2022

● નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી માટે અહીં ક્લિક કરો.


આ ઉપયોગી મેસેજ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મોકલવા વિનંતી.

24 December 2021

ગુજરાત સ્ટેમ ક્વિઝ 19 ડીસેમ્બર 2021 થી 19 જાન્યુઆરી 2022

 

ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.

ગુજરાત સ્ટેમ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

 

વિષય / અભ્યાસક્રમ / Subject/ Syllabus

સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. 

 

01 November 2021

National Eligibility Cum Entrance Test Result 2021 Details

 


Organization-Authority NameNational Testing Agency 
Name of the entrance testNational Eligibility Cum Entrance Test UG
Admission in courses such asMBBS/BDS/BAMS/BSMS/BUMS/BHMS
NTA NEET Exam Date12 September 2021
CategoryResult
NEET UG Result Release DateOctober 2021 
StatusAvailable Soon
Official websiteneet.nta.nic.in

18 October 2021

આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરો.


 આ રીતે કરો આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ:


 

‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ડાઉનલોડ કરવા માટે આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો ખુબ જરૂરી છે તેમજ આધારમાં લિંક માબોઇલ નંબર તમારી પાસે હોવા જોઇએ. ‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ને ડાઉનલોડ કરતી સમયે જે કોઈપણ મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોય એમાં એક OTP આવશે જે પોર્ટલમાં નાંખવાનો રહેશે.

આ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો પોર્ટલ ઓપન કરો. 

પોર્ટલ ઓપન કરવા માટે અહીં ક્લિક કરો.

બાદમાં આધાર કાર્ડનો વિકલ્પ દેખાઈ આવે ત્યાં ક્લિક કરો. 

હવે Scheme વિકલ્પ જોવા મળશે ત્યાં ક્લિક કરો. 

જ્યાં PMJAY પસંદ કરીને તેમાં તમારૂ રાજ્ય પસંદ કરો. 

બાદમાં તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો તેમજ પછી જનરેટ OTP પર ક્લિક કરો.

 જનરેટ OTP પર ક્લિક કરતા જ તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. 

હવે આ OTP  દાખલ કરો. 

OTP દાખલ કર્યા પછી તમે વેરિફાઇ બટન પર ક્લિક કરો. 

વેરિફાઇ નંબર પર ક્લિક કરતા જ તમારૂ આયુષ્માન કાર્ડ ડિસ્પ્લે થશે.

 જ્યાંથી તમે ઇચ્છો તો તમારા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. 

ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખી શકો છો. જ્યારે પણ તમારી તબીબી સારવારની જરૂર પડે ત્યારે આયુષ્માન કાર્ડની પ્રિન્ટ આઉટનો ઉપયોગ કરી શકો છો.