:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

31 May 2017

RBI લાગૂ કરશે ‘એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી’, બેન્ક બદલી શકશો – ખાતા નંબર એ જ રહેશે

RBI લાગૂ કરશે 'એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી', બેન્ક બદલી શકશો – ખાતા નંબર એ જ રહેશે

SANDESH NEWS May 31, 2017

જે રીતે તમે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો લાભ લો છો, કંઇક એવી જ રીતે બેન્ક એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો લાભ પણ લઇ શકાશે. એટલે કે બેન્ક બદલશો તો પણ તમારો બેન્ક એકાઉન્ટ નંબર એ જ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર એસએસ મુંદડાએ ખાતા નંબર પોર્ટેબિલિટીની જરૂરિયાત પર જોર આપ્યું છે અને ટૂંક સમયમાં જ ગ્રાહકોને આ સુવિધા પૂરી પડાશે.

તેમણે કહ્યું કે એક વખત એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી શરૂ થઇ જશે ત્યારબાદ કંઇ બોલ્યા વગર જ ગ્રાહક બીજી બેન્કની પાસે જતો રહેશે. મુંદડાએ કહ્યું કે મોટી સંખ્યામાં બેન્ક બીસીએસબીઆઈ દ્વારા ડિઝાઇન આચાર સંહિતાનું પાલન કરતા નથી. બીસીએસબીઆઈ એક સ્વતંત્ર એકમ છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્કસ એસોસીએશન અને અનુસૂચિત કોમર્શિયલ બેન્કો દ્વારા સ્થાપિત કરાઇ છે.

તેમણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સાથે જોડાયેલ ખતરા અંગે પણ વાત કરી. બેન્કિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા એ મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મેં થોડાંક વર્ષો પહેલાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની વકાલત કરી હતી. ત્યારે તે ભલે અબસ્ટ્રેક્ટ લાગ્યું હોય પરંતુ યુપીઆઈ વગેરે નવા પ્રકારની ટેકનોલોજી સિસ્ટમ આવ્યા બાદ અને આધાર નંબરને ખાતા સાથે જોડાયા બાદ તેને લાગૂ કરવાની સંભાવનાને બળ મળી રહ્યું છે.

મુંદડાએ કહ્યું કે રિઝર્વ બેન્કની ચિંતા તમામ લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવા સુધી સીમિત છે. કેન્દ્રીય બેન્ક એ નથી જોઇ રહ્યું કે ગ્રાહકોને આ સુવિધાઓ આપવા માટે બેન્ક કેટલી ફી વસૂલી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં આધાર રજીસ્ટર્ડ થયો છે, એનપીસીઆઈ એ પ્લેટફોર્મ બનાવ્યું છે. આઇએમપીએસ જેવી બેન્કિંગ લેવડ દેવડ માટે કેટલીય એપ શરૂ કરાઈ છે. એવામાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની પણ સંભાવના શકય બની શકે છે.

મુંદડાએ એમ પણ કહ્યું કે આરબીઆઈ છેતરપિંડી દ્વારા ગેરકાયદે થતી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ લેવડદેવડમાં ગ્રાહકોના હિતોની રક્ષા માટે ટૂંક સમયમાં જ આખરી દિશા-નિર્દેશ રજૂ કરશે. આ નિયમોમાં અનાધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ લેવડદેવડના મામલામાં ગ્રાહકોની દેણદારીને સીમિત રાખવાની જોગવાઇ કરી શકે છે.

No comments:

Post a Comment

Ⓣⓗⓐⓝⓚⓢ