NEWS
20 April 2012
"ઇન્દુલાલ યાજ્ઞિક"
નડિયાદના નાગર કુટુંબમાં ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૨ના રોજ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થયો હતો. ઇ.સ. ૧૯૧૨માં બી.એ. એલ.એલ.બી. થયા. ગાંધીજીની વિચારસરણીના વિરોધ છતાં સાચું લાગ્યું તે સ્વીકાર્ય. ઇન્દુલાલનું બીજુ નામ છે આંદોલન પ્રચંડ આંદોલન.બંગભંગ, સ્વદેશી ચળવળ, હોમરૂલ લીગ અને બૉમ્બ પ્રવૃતિ, ગાંધીવાદ, સમાજવાદ અને સામ્યવાદ ગળે ઉતારીને કિસાનોના પ્રશ્નોમાં જલદ રીતે કાર્યરત રહીને છ દાયકા સુધી વિશાળ ફલક ઉપર અન્યાય સામે એમનો આતશ ભભૂકતો જ રહ્યો. ઇ.સ. ૧૯૧૭માં બીજી કેળવણી પરિષદ યોજી રાષ્ટ્રીય કેળવણીની વિચારધારા સાથે 'ગુજરાત વિદ્યાપીઠ'નું બીજ રોપાયું. ઇ.સ. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન ઉપાડી 'જનતા પરિષદ'ની રચના કરી. ઇ.સ. ૧૯૭૨માં દેહવિલય થયો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ