:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

22 September 2017

જીએસટી સમગ્ર દેશમાં અને દરેક પ્રોડકટમાં લાગુ થઈ ચુકયો છે. પરતું દુકાનદાર જીએસટી વસુલી શકતા નથી. ગુડસ એન્ડ સર્વિસ ટેકસને લઈને માર્કેટમાં હાલ પણ કન્ફ્યુઝન યથાવત છે. કયાંક એવું તો નથી બનતુંને કે દુકાનદાર તમારી પાસેથી ખોટા જીએસટીની વસુલાત કરી રહ્યાં હોય. અમે તમને બતાવી રહ્યાં છે કે નકલી જીએસટી બિલને કઈ રીતે પકડવું છે અને આ પ્રકારના કામ કરનારને કઈ રીતે પકડવાના છે. તમે તમારા મોબાઈલથી

જીએસટી સમગ્ર દેશમાં અને દરેક પ્રોડકટમાં લાગુ થઈ ચુકયો છે. પરતું દુકાનદાર જીએસટી વસુલી શકતા નથી. ગુડસ એન્ડ સર્વિસ ટેકસને લઈને માર્કેટમાં હાલ પણ કન્ફ્યુઝન યથાવત છે. કયાંક એવું તો નથી બનતુંને કે દુકાનદાર તમારી પાસેથી ખોટા જીએસટીની વસુલાત કરી રહ્યાં હોય. અમે તમને બતાવી રહ્યાં છે કે નકલી જીએસટી બિલને કઈ રીતે પકડવું છે અને આ પ્રકારના કામ કરનારને કઈ રીતે પકડવાના છે. તમે તમારા મોબાઈલથી આ કામ કરી શકો છો.
 
તમારે કરવાના રહેશે આ બે કામ
 
જો તમારી પાસેથી કોઈ જીએસટીની વસુલાત કરી રહ્યું હોય તો તેની પાસેથી તમારે બિલ લેવું જોઈએ. આ બિલ પર જીએસટી ટીન (GSTIN) પણ આપેલો હોય છે. આ નંબરથી તમે ઓળખ કરી શકો છો કે દુકાન કે હોટલમાંથી તમને જે બિલ મળ્યું છે તે રજિસ્ટર્ડ છે કે નહિ. તેને તમે જીએસટીની વેબસાઈટ પર ચેક કરી શકો છો. તેની લિન્ક છે...

અહીં તમારે બિલ પર લખેલો 15 આંકડાનો જીએસટીન નંબર નાંખીને સર્ચ કરવાનું રહેશે. આ દુકાનદારની ડિટેલ તમારી સામે આવી જશે. જીએસટીએન 15 આંકડાનો નંબર હોય છે, જે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક દુકાનદારને આપવામાં આવે છે. તેમાં અંક અને અંગ્રેજીના અક્ષર હોય છે. તેની પહેલા બે રાજયોનો કોડ હોય છે. આગળના 10 નંબર તે દુકાનદાર કે કંપનીનો પાન નંબર હોય છે. તેમાં લખવામાં આવેલા 13 નંબરથી એ ખ્યાલ આવે છે કે આ દુકાન કે હોટલે કેટલા રજિસ્ટ્રેશન કરાવ્યા છે. માની લો કે કોઈ દુકાનદારે કોઈ રાજયમાં અલગ-અલગ બિઝનેસ માટે એક જ પાન નંબર પર 5 રજિસ્ટ્રેશન કરાવ્યા છે તો 13મો નંબર 5 હશે. 14મો નંબર હમેશા Z હોય છે. જો કંપનીના રજિસ્ટ્રેશનની ગણતરી બે આંકડાઓને પાર કરે છે તો Zની જગ્યાએ તે ગણતરી આવી જાય છે. 15મો નંબર ચેક કોડ હોય છે. જે ખામીઓ પકડવા માટે યુઝ થાય છે.

ચેક કરો સાચો જીએસટી રેટ
 
આમ તો તમને રોજિંદિ ચીજો પર લાગતા જીએસટી રેટની જાણકારી હોવી જોઈએ. પરતું તમને નથી તો તમે તેની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. લિન્ક છે- https://cbec-gst.gov.in/gst-goods-services-rates.html

ગરબડની ફરિયાદ અહીં કરો
 
જો દુકાનદાર તમારી પાસેથી ખોટા રેટ પર જીએસટી વસુલી રહ્યાં છે અથવા તો વગર રજિસ્ટ્રેશન કરાવ્યે ટેકસ વસુલી રહ્યાં છે તો, તમે તેની ફરીયાદ કરી શકો છો. ઈમેલ-helpdesk@gst.gov.in.

1 comment:

  1. Sir,
    Please add post about https://www.gstsearch.in good for validating gst
    Thank You

    ReplyDelete

Ⓣⓗⓐⓝⓚⓢ