:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

03 February 2015

Now You Can Link Your ADHARCARD From Your SBI ATM Card [ SBI ATM ધારકોને મળશે આ ખાસ ફાયદો, ૧ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગુ ]

Now You Can Link Your ADHARCARD From Your SBI ATM Card [ SBI ATM ધારકોને મળશે આ ખાસ ફાયદો, ૧ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગુ ]

તમે એસબીઆઈ બેન્કની કોઈ પણ બ્રાન્ચના ગ્રાહક છો અને તમારી પાસે એટીએમ કાર્ડ છે બેંક એકાઉન્ટને એટીએમ કાર્ડ દ્વારા જ આધાર નંબર સાથે લીંક કરી શકો છો. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને આ સુવિધા આપવા માટે આ યોજના સમગ્ર દેશમાં એક સાથે શરૂ કરી છે. આ સુવિધા 1 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.

ડાયરેક્ટ બેનીફિટ ટુ ટ્રાન્સફર એલપીજી (ડીબીટીએલ) ગેસ સબસિડી સ્કીમનો લાભ લેવા માટે લોકોએ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે લિંક કરાવવા માટે કહેવામાં આવ્યું છે. લોકોને તેમાં ઘણા પ્રકારની મુશ્કીલનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવવું પડે છે. ત્યાર બાદ ત્યાંથી લિંક કરવામાં આવે છે. ઘણા ગ્રાહક જાણીજોઇને અથવા ભૂલથી યોગ્ય જાણકારી નથી આપી રહ્યા. બેંકમાં પેન્ડેન્સી વધતી જઈ રહી છે. બેંકે આ સમસ્યાનું સમાધાન શોધી લીધું છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે હવે તેઓ એટીએમ કાર્ડ અને ઓનલાઇન બેન્કિંગ દ્વારા પોતાના એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે લિંક કરી શકે છે. બેંકમાં પણ આધાર લિંક કરાવી શકાય છે.

મેસેજની સુવિધા પણ ઉપલબ્ધ

તમારા મોબાઇલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોય તો તમે મેસેજ બોક્સમાં જઇને કેપિટલમાં UID ટાઇપ કરી, સ્પેસ આપીને આધાર નંબર ટાઇપ કરવો, ફરી સ્પેસ આપી અને એકાઉન્ટ નંબર ટાઇપ મેસેજ કરી 567676 પર મોકલી દેવો. આધાર નંબર એકાઉન્ટ નંબર સાથે લિંક થયા બાદ તમારા મોબાઇલ પર મેસેજ આવી જશે.

ઓનલાઇન બેન્કિંગ મારફતે જોડો તમારો આધાર નંબર

તમારા એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવા માટે ગ્રાહક એસબીઆઇ ઓનલાઇન બેન્કિંગ એકાઉન્ટ ખોલીને સ્ક્રીનના લેન્ડિંગ પેજ પર ડાબી બાજુ ઉપલબ્ધ 'તમારા આધાર નંબરને લિંક કરો'ની લિંકનો ઉપયોગ કરીને આધાર નંબર લિંક કરાવી શકાય છે.

એટીએમ દ્વારા કેવી રીતે લિંક કરશો

ગ્રાહક પોતાના એટીએમ કાર્ડને કોઈ એસબીઆઇ એટીએમમાં સ્વાઇપ કરી, પિન નાખ્યા બાદ રજિસ્ટ્રેશન લિંક ઓપ્શન પર ક્લિક કરી અને પોતાના એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવા માટે લિંક આધાર રજિસ્ટ્રેશનનો ઉપયોગ કર્યા પછી તમારો આધાર નંબર ટાઇપ કરવો. તેનાથી આધાર લિંક થઈ જશે.

No comments:

Post a Comment

Ⓣⓗⓐⓝⓚⓢ