NEWS
29 March 2012
લીમડાના વિવિધભાષી નામો
૨. हिन्दी ~ नीम, निम्ब
૩. સંસ્કૃત ~ निम्बः
૪. મરાઠી ~ कडू निम्ब
૫. કર્ણાટકી ~ बंडेबेवु
૬. બંગાળી ~ નિમગાજ, નિમ
૭. તમિલ ~ વેયુમ્ મરમ, બેવુ
૮. કન્નડ તથા તુલૂમાં ~ બેવુ
૯. તેલુગુ ~ વેયા, વેય.
૧૦. તૈલંગી ~ વેપ્પા.
૧૧. ફારસી ~ તેનવ નીમ, નેન બનીમ, દરખતહક.
૧૨. અરબી ~ આઝાદ દરખતે નીમ.
૧૩. ગોમાંતકી ~ બેવારૂકુ.
૧૪. અંગ્રેજી ~ નીમ ટ્રી, ઇંડિયન લીલાક, માર્ગોસા ટ્રી.
૧૫. લેટીન ~ મેલિયા એઝાડિરેક્ટા, એઝાડિરેક્ટા ઇંડિકા.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
27 March 2012
કેટલીક વાસ્તવિકતા
* મોટામાં મોટી સગવડ ~> સારી રીતે કાર્ય કરવું
* દુ:ખ પૂરુ ન સ્વીકારી શકાય ~> હાર
* ખરાબ લાગણી ~> સફળતાની ઈર્ષા
* શ્રેષ્ઠ જ્ઞાન ~> અનુભવ
* મહાન લાગણી ~> પ્રેમ
* ઉમદા ભેટ ~> માફી આપવી
* મહાન પળ ~> મૃત્યુ
* મહાન સફળતા ~> મનની શાંતિ
* મહાન જરૂરિયાત ~> સામાન્ય બુદ્ધિ
* મહાન ભૂલ ~> ત્યજી દેવું
* સરળ વસ્તુ ~> ખામી શોધવી
* બિનજરૂરી મિલકત ~> અભિમાન
* કરવા માટે અઘરી વસ્તુ ~> શરૂઆત
* મોટી અપંગતા ~> ભય
25 March 2012
22 March 2012
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો
આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો "કેમ છો?" એટલુંય કોઈએ પુછ્યું નથી
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.
બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
~: કવિ પરીચય :~
આજની કવિ ઓળખ "પ્રાચીન
ભકતકવિ દયારામ"
ગુજરાતના પ્રાચીન ભકતકવિ
દયારામનો જન્મ નર્મદા તટે
ચાણોદ ગામે થયો હતો. યુવાન
દયારામને કેશવદાસનો અને
પછી ઈચ્છારામ ભટ્ટજીનો
ભેટો થાય છે ને જુવાનીના
તોફાનમાં ફંગોળાતી તેમની
જીવનનૌકા નર્મદાના
વહેણમાં ભક્તિભરી વહેવા
માંડે છે. એ જમાનામાંય
દયારામે ભારતના તીર્થોની
ત્રણ ત્રણ વખત યાત્રાઓ કરી.
એ અપરિણીત રહ્યા ને પછી
રતનબાઈ નામની વિધવા
સ્ત્રીનો પરિચય થતાં જીવન
પર્યંત તેની ભક્તિભરી સેવા
છોછ વિના લીધી. દરમિયાન
તેમની કાવ્યસરિતા સતત
વહેતી જ રહી ડાકોરથી
દ્વારિકા સુધીના
મંદિરોમાં પોતાના
સુરીલાકંઠે ગાઈને કંઈ
કેટલાં ભક્તહ્વદયોને
ભીંજવ્યા હશે. તે રામસાગર
સાથે ગાતા. તેના કૃષ્ણ
લીલાના પદો અતિ લોકપ્રિય
છે. જેમાં ગોપીહ્વદયના
સુંદરભાવો તેમણે
અભિવ્યક્ત કર્યા છે. જીવનનો
અખૂટ આનંદરસ યુગે યુગે
તેમાંથી ગુજરાતી પ્રજાને
મળી રહે છે. દયારામની
શૃંગારની ભાવના વિશેષ
પ્રબળ છે. તેમણે ૧૩૫ જેટલા
ગ્રંથો લખ્યા છે. મીરા અને
નરસિંહની અધૂરી રહેલી
કૃષ્ણભક્તિ એમની ગરબીઓથી
વધુ ખીલી નીકળી. પોણી
સદીનું આયખું ભોગવીને
દયારામે તા. ૯-૨-૧૮૫૨ના રોજ
પોતાનો નશ્વર દેહ છોડ્યો.
ગોર્વધનરામે તેમને અંજલિ
આપતા લખ્યું : "આપણા આદિ કવિ
(નરસિંહ) અને અંતિમ કવિ
(દયારામ) એ પોતાના યુગોમાં
ભક્તિમાર્ગના જે શિખરો રચી
તેની ઉપર પોતાના સ્થાનકો
રચ્યાં છે તેનાથી અડધી
ઊંચાઈનું શિખર વચ્ચે કોઈ
કવિએ દેખાડ્યું નથી."