:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

14 January 2021

હવે આધારકાર્ડ માં નામ, સરનામું, જન્મ તારીખ બદલાવા સેવા કેન્દ્રોમાં નહીં જવું પડે, જાતે જ ઓનલાઈન સુધારો કરો


આધારકાર્ડ તો દરેકે પોતાનું બનાવી જ લીધું હોય છે પણ એમાં અમુક વિગત ખોટી હોય અથવા બદલવાની જરૂર પડી હોય તો તેના માટે હવે તમારે કોઈ માનવ સેવા કેન્દ્ર એ જવાની જરૂર નથી જાતેજ ઘરે ઓનલાઈન સુધારા કરી શકો છો.

મિત્રો, ઘણા લોકોએ પોતાના નામ અથવા અડ્રેસ ખોટા લખાઈ ગયા હોય છે અથવા તે એક જગ્યા એથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી ચૂક્યાં હોય તો તેને સરનામું બદલવાની જરૂર પડે છે , કોઈ બહેનો એ લગ્ન બાદ તેના પિતાના નામની જગ્યાએ તેના પતિનું નામ બદલવાની ફરજ પડતી હોય તો આ બધા કેસમાં હવે તમે જાતેજ ઘરે બેઠાં ઓનલાઈન સુધારો કરી શકો છો.

ચાલો તો જાણી લઈએ કઈ રીતે તમે સુધારો કરી શકશો ?

૧) સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉસરમાં જઈ https://ssup.uidai.gov.in/ssup/ લખી સર્ચ કરો.

૨) ત્યારબાદ તમને Proceed to Update Aadhar એવો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

૩) હવે તેમાં તમારો ૧૨ અંકનો આધાર નંબર નાખો અને નીચે આપેલો કેપચા કોડ લખો.

૪) ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર ઉપર OTP આવશે.

( મિત્રો ખાસ યાદ રાખજો કે તમારો આધારકાર્ડ સાથે મોબાઇલે નંબર લિંક હોવો જરૂરી છે નહીતો OTP નહીં આવે.)

૫) ત્યારબાદ તમને Update Demographics Data એવો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

૬) ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે કઈ વિગત સુધારવી છે જેમાં તમારે જે વિગત સુધારવી હોઈ તેના પર ક્લિક કરો અને પછી નીચે Proceed ઓપ્શન પર ક્લિક કરો.

(ત્યારબાદ ફરી એક બોક્સ ખુલશે જેમાં ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ Proceed પર ક્લિક કરો)

૭) ત્યારબાદ તમારે જે સુધારવું હોય તેની સાચી માહિતી લખો.

૮) ત્યારબાદ નીચે upload valid document માં જેતે માહિતી સુધારવી હોય તેનું સાચું ડોક્યુમેન્ટ અપલોડ કરો.

( આ માટે તમને ઓપ્શન બતાવવામાં આવશે. ઓપ્શન મુજબ તમારી પાસે જે માહિતી ચેન્જ કરવી હોય તેની સાચી માહિતી વાળું ડોક્યુમેન્ટ અપલોડ કરો.)

૯) ત્યારબાદ નીચે Preview ઓપ્શન પર ક્લિક કરો.

૧૦) હવે જે પેજ ખુલે એમાં નીચે ફરી capcha code લખી send OTP પર કિલક કરો અને પછી નીચે OTP લખી ચેકબોક્સ લર ક્લિક કરી નીચે આવેલા Make Payment બટન પર ક્લિક કરો.

૧૧) હવે તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય તે ઓપ્શન ક્લિક કરો. (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ)

(મિત્રો આધારકાર્ડ માટે તમારે રૂ.૫૦ નું પેંમેન્ટ કરવું પડશે.)

૧૨)ત્યારબાદ પેમેન્ટ કરી તેની reciept ડાઉનલોડ કરી લો.

બસ તો મિત્રો હોવી ત્રણ થી ચાર દિવસ માં તમારી વિગત અપડેટ થઈ જશે.


જો તમારે સ્ટેટ્સ ચેક કરવું હોય તો https://ssup.uidai.gov.in વેબસાઈટ ઓપન કરી Check Update status પર ક્લિક કરો.

ત્યારબાદ આઘાર નંબર,URN નંબર અને કેપચા એન્ટર કરી સ્ટેટ્સ જોઈ શકો છો.

No comments:

Post a Comment

Ⓣⓗⓐⓝⓚⓢ